અમદાવાદમાં CAA અને NRCનો વિરોધ, શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો, ટિયરગેસના શેલ છોડાયા

જ્યારે પ્રદર્શનકારીઓએ લાલ દરવાજા પાસે એએમટીએસના બસના કાચ તોડ્યા હતા.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 19 Dec 2019 10:21 PM


અમદાવાદના શાહઆલમમાં પણ તોફાની તત્ત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શનકારીઓના પથ્થરમારાના કારણે 12 જેટલા પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા માટે પોલીસને ટીયરગેસના શેલ છોડવા પડ્યા હતા.

ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશી ઉપદ્રવીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. તોફાની તત્ત્વોને પકડવા પોલીસે કોમ્બિગ હાથ ધર્યું હતું.

શાહઆલમ વિ્સ્તારમાં લોકોએ ઝોન-6 ડીસીપી, એસીપી આર.બી.રાણા, બે પીઆઈ, ચારથી વધુ પીએસઆઈ અને પાંચથી સાત કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓને માર્યા હતા. તેમજ પથ્થરમારો પણ કર્યો હતો. આઠ જેટલા પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. તમામ પોલીસ કર્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વિરોધ પ્રદર્શન મામલે પ્રદિપસિંહ જાડેજા જણાવ્યું કે, ગુજરાતમાં બંધની કોઈ જ અસર નથી. માત્ર બે જ જગ્યાએ અઘટિત બનાવો બન્યા છે. પોલીસે બળપ્રયોગ કરી ટોળાને વિખેરી નાંખ્યા છે.
શહેરનાં સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાના કારણોસર પેટ્રોલિંગ અને અન્ય ટીમો તૈનાત કરી દેવાઇ છે. સાથે તમામ પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારમાં હાજર રહેવા માટે આદેશ આપી દેવાયા છે. બીજી તરફ હિંમતનગરના સવગઢ, પાણપુરપાટિયા, મલીવાડ, ઝહીરાબાદ જેવા વિસ્તારો સજ્જડ બંધ રહ્યા છે.
સીએએના વિરોધમાં ગોધરા મુસ્લિમ સમાજ દ્વારા અપાયું ગોધરા બંધનું એલાન અપાયું છે. જેને પગલે ગોધરાના મુસ્લિમ બજારો આજે સજ્જડ બંધ છે. ગોધરાના પોલન બજાર, ગોન્દ્રા વિસ્તારમાં આવેલ દુકાનો બહાર બિલના વિરોધ કરતા પોસ્ટર લગાવી વિરોધ કરાયો છે
હિંસક પ્રદર્શનની આશંકાને પગલે લાલ દરવાજા વિસ્તારમાં આવેલા રીલિફ રોડ અને તેની આસપાસના વિસ્તારોની દુકાનો બંધ કરીને વેપારીઓ ભાગી ગયા હતા. જ્યારે રાજકોટ, વડોદરા, સુરતમાં બંધની નહીવત અસર છે.

প্রেক্ষাপট

અમદાવાદઃ શહેરના લાલદરવાજા અને બનાસકાંઠાના છાપીમાં પ્રદર્શનકારીઓએ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. તે સિવાય મિરઝાપુરમાં પોલીસ પર પથ્થરમારો થતાં બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે 15થી વધુ લોકોની અટકાયત કરી હતી.  જ્યારે પ્રદર્શનકારીઓએ લાલ દરવાજા પાસે એએમટીએસના બસના કાચ તોડ્યા હતા. મોટી સંખ્યામાં એકઠા થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની જરૂર પડી હતી. હાલ અનેક સ્થળોએ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવાઈ ગયો છે. જોકે, હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.